
પાટણમાં રાજકારણ ગરમાયું
સાંસદ ની ગ્રાન્ટ માથી કયારેય ટકાવારી માગી ન હોવાના ભરતસિંહ ડાભી ના નિવેદનથી રાજકારણ ગરમાયું..
કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ભરતસિંહ ડાભી ના નિવેદન ને લઈ પોતાની પ્રતિક્રિયા આપી..
લોકસભા ની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પોત પોતાના પ્રચાર મા વ્યસ્ત બની પોતાના મતક્ષેત્રમા સભાઓ, બેઠકો યોજી રહ્યાં છે.ત્યારે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ પોતાના ચુટણી પ્રચારને લઈને ગામડાઓ ખુદી રહ્યા છે ત્યારે બુધવારના રોજ ચાણસ્માના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરમાં સાંસદ ની ગ્રાન્ટમાં કટકી મામલે નિવેદન આપતાં પાટણનુ રાજકારણ ગરમાયું છે. ત્યારે શું સાંસદો ટકાવારી લે છે?સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે ભરત
સિંહ ડાભીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતું કે, ડેલિકેટ, સરપંચ કે આમ નાગરિક હોય કોઈ જોડે મેં ટકાવારી માંગી નથી. તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સાચવી આ હોદાને ન્યાય અપાવ્યો છે.
આમ, ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે. તેમનું નિવેદન સવાલ કરે છે કે, શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણી માંથી ટકાવારી લેતા હશે? એવુ તો શું થયું કે ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરવો પડ્યો. આ બાબતે પ્રતિક્રિયા આપતા પાટણ કોગ્રેસના ઉમેદવાર અને બક્ષીપંચ સમાજના પ્રભુત્વ વાળી ગણાતી પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રમુખ અને સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભરતસિંહ ડાભી ના નિવેદન કહ્યું કે, ગુજરાતના બાકીના સંસાદ ટકાવારી લે છે એવુ ભરતસિંહ નુ કહેવુ છે? ભરતસિંહે આવુ નિવેદન આપીને ભાજપના બીજા સાંસદો ટકાવારી લે છે તે સાબિત કયુઁ છે.ભરતસિંહ પાટણના કેટલાય ગામમાં 5 વર્ષથી ગયા નથી. જે ગામ તેમણે દત્તક લીધુ છે તેમાં પણ તેઓ ગયા નથી, અને ત્યા વિકાસ થયો નથી. પાંચ વર્ષમાં જે કામ કરવાના હતા તે કર્યા નથી.હાલ જનતા તેમને નકારી રહી છે. ભ્રષ્ટાચારની વાતો ભાજપ કરે તે શોભતુ નથી. સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર કેટલો વધ્યો છે તે બધા જાણે છે. ભાજપ પ્રલોભન આપીને વહેવાર કરે છે તે બધા જુએ છે. કોંગ્રેસના શાસનમાં અને ભાજપના શાસનમાં જે તફાવત છે તે સ્પષ્ટ દેખાય છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે. ગુજરાતના અનેક વિભાગ ભ્રસ્ટાચારથી ખરડાયેલા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે,છતાં પાટણમાં કોઈ સુવિધા નથી. ભાજપની છબી સાફ સુધીર છે તે દુનિયા જાણે છે.પાટણના અનેક પ્રશ્નો રુંધાયા છે તેવું ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું.