
આગામી તા. ૬થી ૧૦ એપ્રિલ દરમિયાન માધવપુર ખાતે યોજાનાર મેળાની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે સોમનાથ ખાતે આગામી તા. ૦૫ એપ્રિલના રોજ સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમ સંદર્ભે કલેક્ટરશ્રીએ જિલ્લાના ઈન્ફ્લુઅન્સર્સ સાથે મેળાનું મહત્વ, યોજાનાર ઈવેન્ટ વગેરે વિશે વાર્તાલાપ કરી મેળાની પૂર્વભૂમિકા બાંધી જિલ્લામાં આ માટેનો માહોલ તૈયાર થાય તેની શરૂઆત કરાવી હતી.