ताज़ा ख़बरें

વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં બીજે દિવસે ગેરહાજરી બાદ મંત્રીએ શું વિનંતી કરી, હિતેનકુમાર અને કલાકારો શું બોલ્યા?

વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં બીજે દિવસે ગેરહાજરી બાદ મંત્રીએ શું વિનંતી કરી, હિતેનકુમાર અને કલાકારો શું બોલ્યા?

થોડા દિવસો પહેલાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન અપાતાં વિવાદ સર્જાયો હતો.

અભિનેતા વિક્રમ ઠાકોરના આક્ષેપ બાદ કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જે અંતર્ગત તારીખ 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરુવારે) હિતુ કનોડિયા, મોના થીબા, મલ્હાર ઠક્કર, પૂજા જોશી, હિતેનકુમાર, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતના કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેનકુમાર, હિતુ કનોડિયા અને અભિનેત્રી મોના થીબા, મલ્હાર ઠક્કર અને પૂજા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતના કલાકારો પહોંચી ચૂક્યા હતા. કલાકારો તરફથી હિતુ કનોડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર માન્યો હતો.

જોકે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું પણ તેઓ વિધાનસભામાં હાજર રહ્યા નહોતા.

વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં બીજે દિવસે ગેરહાજરી બાદ મંત્રીએ શું વિનંતી કરી, હિતેનકુમાર અને કલાકારો શું બોલ્યા?
27 માર્ચ  2025
Show More
Back to top button
error: Content is protected !!