
અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક ૨૩ માર્ચ (રવિવાર)ના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ૬૦૦ ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી, જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી