
ગીર દેવળી ગામે 19 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ અંદાજિત રૂ. 3 કરોડની આશરે 1,20,000 ચો.મી. ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ આજરોજ કોડિનાર તાલુકાના ગીર દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત, આજે 19 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ અંદાજિત રૂ. 3 કરોડની આશરે 1,20,000 ચો.મી. ગૌચર જમીનખુલ્લી કરવામાં આવી હતી.
આમ, છેલ્લા ત્રણ દિવસમાં ગ્રામ પંચાયત ગીર દેવળી દ્વારા ત્રણ જેસીબી રાખીને ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
સમગ્રતયા જિલ્લા તંત્ર દ્વારા કુલ 109 દબાણદારો દ્વારા દબાણ કરવામા આવેલ આશરે 6,88,000 ચો.મી ગૌચર જમીન કિંમત અંદાજિત રૂ. 17.72 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી