
પાટણ જિલ્લામાં
વન વિભાગ દ્વારા ઉનાળામાં અબોલ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે હવાડા પાણીથી ભરવા માટે રૂ . 3.84 લાખનો ખર્ચ કરાશે
વન વિસ્તારમાં કાયૅરત કરવામાં આવેલા 32 હવાડામાં ઉનાળાના 4 માસ નિયમિત હવાડા ભરવાની કામગીરી ચાલુ રહેશે
પાટણ જિલ્લા વન વિભાગની કચેરી દ્વારા ઉનાળાના ચાર મહિના વન્ય પ્રાણી અને પશુ પક્ષીઓ માટે ₹3.84 લાખના ખર્ચે વનવિસ્તારમાં પાણીના હવાડા ભરવા માટે ખચૅ કરવામાં આવનાર હોવાનું વન વિભાગ અધિકારી જણાવ્યું હતું.
પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીનેજિલ્લામાં આવેલા ખુલ્લા વન વિસ્તાર અને જંગલોમાં રહેતા પ્રાણીઓ સહિત પશુ પક્ષીઓને પીવા માટે પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવા ગરમીના 4 મહિનામાં વન વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા હવાડાઓમાં પાણી ભરવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી,રાધનપુર,હારીજ જેવા વન્ય વિસ્તારમાં અને ખુલ્લા વન જગલો માં 32 હવાડા કાયૅરત બનાવી તેમા પાણી ભરીને વન્ય પ્રાણીઓની તરસ છીપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પાટણ જિલ્લાના સમી, સાંતલપુર અને રાધનપુર અને હારીજ સહિત 21 જેટલા ગામ મા 32 જેટલા હવાડા તૈયાર કરી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જેવા કે નીલ ગાય,ઘુડખર, લોકડી, શિયાળ, ઝરખ સહિતના વન્ય પશુ, પક્ષીઓ માટે માર્ચ,એપ્રિલ, મેં અને જૂન એમ ચાર માસ સુધી ટેન્કર મારફતે જરૂરિયાત મુજબ પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લા વનવિભાગના નાયબ વન સરક્ષક અધિકારી ડો.બિંદુબેન પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા વનવિભાગ ઉનાળા ની ગરમી માં 4 મહિના સુધી પંથકના ખુલ્લા વન જંગલોમાં પ્રાણીઓને પીવા માટે પાણીના વલખાં પડતા હોય છે તેને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા દર ઉનાળામાં આવા હવાડા ભરવામાં આવે છે અને જેનો અંદાજીત ખર્ચ રૂ 3,84 લાખ જેટલો થાય છે. આ હવાડા માંથી ગરમી ના સમયમાં પશુ પક્ષી અને પ્રાણીઓ પાણી પીતા હોય છે.
આ 21 ગામોના સિમ વિસ્તારમાં હાલ 32 હવાડા કાર્યરત કરવામાં આવ્યાં છે જેમાં સાંતલપુર તાલુકાના રોઝુ, ધોકાવાડા,એવાલ ચારણકા, વૌવા, સાંતલપુર, ગરામડી, પીપરાળા, જાખોત્રા, વારાહી તાલુકા ના ઝઝામ, ફાંગલી અને છાણસરા, વર્ણોસરી,હારીજ તાલુકાના અમરાપુર,પુંગવીડ, કોડધા,બાદરગંજ અને રાધનપુર ના જોરાવરગંજ, કરશનગઢ,બિસ્મિલ્લાગંજ,પરસુંદ,આંતરનેશ ગામના વન વિસ્તાર અને જંગલ વિસ્તારનો સમાવેશ હોવાનું તેઓએ જણાવ્યું હતું