SURATVALSADअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

કેન્દ્રીય મંત્રી ગડકરીએ ટુ-વ્હીલર પર ટોલટેક્સ સંબંધિત સમાચારને ફગાવ્યા, મીડિયાના દાવાઓને ભ્રામક ગણાવ્યા
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવાના મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી ગડકરીએ કહ્યું કે આવો કોઈ નિર્ણય પ્રસ્તાવિત નથી. મંત્રીએ કહ્યું કે ટુ-વ્હીલર વાહનો માટે ટોલ પર સંપૂર્ણ મુક્તિ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા સંગઠનો ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવા અંગે ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે. શ્રી ગડકરીએ આની નિંદા કરી અને કહ્યું કે સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવીને સનસનાટી મચાવવી એ સ્વસ્થ પત્રકારત્વની નિશાની નથી.
#NitinGadkari #UnionMinister #two-wheelertolltax #misleading
Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!