સુરત શહેર નાં સરથાણા વિસ્તારમાં એક ટેમ્પો ચાલકે બેદરકારીથી ટેમ્પો ચલાવી ને ઝેરોક્ષ કરાવવા માટે બાઈક પર જતા તરૂણને અડફેટે લેતાં 15 વર્ષીય તરૂણનું મોત નિપજ્યું હતું. ગીર ગઢડા તાલુકાના ઉગલા ગામનાં વતની મનીષ વિક્રમભાઈ પરમાર હાલ પુણા ગામમાં કારગીલ ચોક પાસે રૂક્ષ્મણી સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય દીકરો ધાર્મિક ને મહત્વના ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કરાવવાના હોવાથી બુધવારે સાંજે બાઈક પર ઝેરોક્ષ કરાવવા નીકળ્યો હતો. ધાર્મિક ડી માર્ટની પાછળ સાવલિયા સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે આઇશર ટેમ્પોના ચાલકે પુરઝડપે અને બેદરકારી થી ટેમ્પો ચલાવી ને ધાર્મિક ની ગાડીને અડફેટે લેતાં ધાર્મિક ને ગંભીર રીતે ઈજા થઈ હતી. ગંભીર ઈજા ને કારણે ધાર્મિક નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સરથાણા પોલિસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
2,512 Less than a minute










